ભારત સમક્ષ મુખ્ય કાર્ય એ જ છે કે તે પોતાને એક સુસંબદ્ધ મજબૂત તથા અવિભાજ્ય સત્તામાં એકત્રિત કરી મજબૂત બનાવે....

જુવાન પુરુષો અને સ્ત્રીઓએ એક મજબૂત ચારિત્ર્યનું ઘડતર કરવાનું છે. એક રાષ્ટ્રની શ્રેષ્ઠતા તેનાં જનસમુદાયના ચારિત્ર્યમાં પ્રતિબિંબિત થાય છે. જો તેને સ્વાર્થવૃત્તિનું કલંક લાગ્યું હોય તો આવા લોકો સફળ થતા નથી કે મહાન વસ્તુઓ પ્રાપ્ત કરી શકતા નથી. સ્વાર્થવૃત્તિનું જીવનમાં એક સ્થાન હોય છે કારણ કે દરેકને પોતાની જરૂરિયાતો અને તેના પરિવારની જરુરિયાતો સંતોષવાની જરૂર પડતી હોય છે, પરંતુ તે કઈ સર્વેસર્વા કે જીવનનું બધું અંતિમ નથી.

દમનને પડકારવા માટે ચારિત્ર્ય ઘડતરના સામર્થ્યનું નિર્માણ કરવાની બે રીત છે અને તેના ફળસ્વરૂપે ઉભી થયેલી પ્રતિકુલીત મુશ્કેલીઓને સહન કરવાથી હિંમત અને જાગરૂકતા ઉત્ત્પન્ન થાય છે.

જ્યાં સુધી તમને ખબર ના પડે કે કેવી રીતે મૃત્યુ પામો છો ત્યાં સુધી કેવી રીતે મારી નાખવું તે શીખવું તમારી માટે નકામું છે. પાશવી અત્યાચારો દ્વારા ભારતને ફાયદો થશે નહીં. જો ભારતને લાભ થવાનો હશે તો તે અહિંસા દ્વારા પ્રાપ્ત થશે.

આ આપણી એક અહિંસક લડાઈ છે, તે ધર્મયુદ્ધ છે.

હું એક ગ્રામ્ય સ્પષ્ટવક્તા છું. મારા માટે આ બધા બધાં પ્રશ્નોનો એક જ જવાબ છે. તેનો જવાબ એ નથી કે જયારે રાષ્ટ્ર પર આપત્તિ આવી પડી હોય અને દરેકેદરેક વ્યક્તિ આઝાદીની લડાઈ લડી રહી હોય ત્યારે તમે તમારી જાતને કોલેજોમાં બંધ કરીને ઇતિહાસ કે ગણિતનો અભ્યાસ કરો. તમારું સ્થાન તો તમારા દેશબાધુવો જેઓ આઝાદીની લડાઈ લડી રહ્યા છે તેઓની સાથે જ છે.

મહાત્માજી દ્વારા શરૂ કરવામાં આવેલ આ યુદ્ધ બે બાબતો સામે છે - સરકાર અને બીજું એક સ્વયં સામે. પહેલું યુદ્ધ તો સમાપ્ત થઈ ગયું છે, પરંતુ બીજું તો ક્યારેય બંધ નહીં થાય. તે તો સ્વ-શુદ્ધિકરણ માટે જ છે.

એક વ્યક્તિ રાજ્યક્રાંતિનો માર્ગ લઈ શકે છે પરંતુ તે ક્રાંતિ દ્વારા સમાજને આંચકો લાગવો જોઈએ નહીં. રાજ્યક્રાંતિમાં હિંસા માટે કોઈ સ્થાન નથી.

અહિંસાને વિચાર, વાણી અને કાર્યમાં વણી લેવાની જરૂર છે. આપણી અહિંસાનું માપદંડ જ આપણી સફળતાનું માપ હશે.

સત્યાગ્રહ એ નબળા અથવા કાયરોનો માર્ગ નથી.

....સત્યાગ્રહી તરીકે આપણે હંમેશા દ્રઢતાપૂર્વક દાવો કરવો જોઈએ અને આપણે એમ જ કર્યું છે - કે આપણે હંમેશા આપણા પ્રતિસ્પર્ધકો સાથે સુલેહસંપ સ્થાપવા માટે તૈયાર છીએ. વાસ્તવમાં આપણે હંમેશા શાંતિ જાળવવા માટે જ આતુર છીએ અને જ્યારે આપણે જોયું કે શાંતિ અને સુલેહસંપ માટે દ્વાર ખુલ્યા છે ત્યારે આપણે તેમાં દાખલ થવાનો નિર્ણય લીધો છે.

ગાંધીજીની દસ પંક્તિઓ સો પાનાં ધરાવતા એક આવેદનપત્ર કરતાં વધારે પ્રભાવ ધરાવે છે.